top of page
અનાજ સહાય
આજના મોંઘવારીના અને બેરોજગારીના સમયમાં ઘર ખર્ચના બે છેડા મેળવવા મુશ્કેલ થઈ ગયા છે. મોંઘવારીનો ભાર સમાજના દરેક વર્ગને પડેલો છે. પહેલા ભોજન પછી ભજન જરૂરી થઈ ગયું છે. 'જ્યાં અન્ન કટકો ત્યાં હરિ અટકો' શ્રી જલારામ બાપાની આ ઉક્તિને ચરિતાર્થ કરવા મંડળ દ્વારા અનાજ સહાયને પ્રાથમિકતા આપવામાં આવે છે. ગરીબ તેમજ જરૂરતમંદ લોકો માટે અનાજ ઉપલબ્ધ કરાવવાના હેતુથી અનાજ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. દર મહિને ૫૫૦ થી ૬૦૦ પરિવારોને નિ:શુલ્ક અનાજ સહાય આપવામાં આવે છે. જરૂરતમંદ પરિવારો છેલ્લા ૪૫ થી ૫૦ વર્ષથી મંડળમાંથી અનાજ સહાયનો લાભ લે છે.

images

hard-white-wheat-honeyville-26new

images
1/2
bottom of page
