top of page
ફિઝિયોથેરાપી
આજનો સમય ખૂબ જ ભાગદોડ નો થઈ ગયો છે. ઘડિયાળના કાંટાની સાથે માનવી રેસ લગાવતો, દોડતો હોય છે. એના લીધે પોતાના શરીર પ્રત્યે સંપૂર્ણ બેદરકાર થઈ ગયો છે. એથી હાથ, પગ, ખભા તેમજ શરીરના બીજા અંગોમાં અચાનક તકલીફ ઊભી થાય છે. ફિઝિયોથેરાપી એક શારીરિક સારવાર છે. વિવિધ સાધનોના હલનચલન અને કસરતથી ઇજાગ્રસ્ત અંગોની માવજત કરવામાં આવે છે. આમાં ઇલેક્ટ્રિક સાથે અન્ય તબીબી સાધનોનો ઉપયોગ થાય છે. મંડળમાં બે વર્ષથી અદ્યતન ફિઝિયોથેરાપી સેવા ચાલુ કરવામાં આવી છે. જેમાં નિષ્ણાત ડોક્ટરો ડૉ. જીલ ઠક્કર સવારના 10.00 થી 1.00 અને ડો. કરિશ્મા વાગડિયા સાંજના 4.00 થી 7.00 દરમિયાન સેવા આપે છે. મંડળ તરફથી રાહત દરે આ સેવા આપવામાં આવે છે. દર મહિને બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લે છે.

DSC_1974

DSC_1967

DSC_1972

DSC_1974
1/5
bottom of page
